• મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
  • Language Selection Icon
  • Accessibility Links Accessibility Icon
    Close

    કારોબારી અધ્યક્ષ

    ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવ
    માનનીય કારોબારી અધ્યક્ષ માનનીય ન્યાયમૂર્તિ શ્રી બીરેન વૈષ્ણવ

    માનનીય ન્યાયાધીશ
    ગુજરાત હાઈકોર્ટ
    સોલા, અમદાવાદ

    માનનીય ન્યાયમૂર્તિ શ્રી બીરેન વૈષ્ણવ

    માનનીય ન્યાયમૂર્તિ શ્રી બીરેન વૈષ્ણવ નો જન્મ ૨૨ મે ૧૯૬૩ના રોજ નવી દિલ્હી ખાતે થયો હતો. તેમણે તેમના બી. એ. (અર્થશાસ્ત્ર) નું અભ્યાસ અમદાબાદના સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી પૂર્ણ કર્યું હતું અને ત્યારબાદ સર એલ.એ. શાહ લૉ કોલેજમાંથી એલ.એલ.બી. ની ડિગ્રી મેળવી હતી. તેઓ ૦૭.૦૯.૧૯૮૭ ના રોજ ગુજરાત બાર કાઉન્સિલમાં વકીલ તરીકે નોંધાયા હતા. તેમણે વ્યવસાયની શરૂઆતમા વકીલ શ્રી પી. વી. હાથીના માર્ગદર્શન હેઠળ કામ શરૂ કર્યું અને ઘણા સિવિલ અને ફોજદારી કેસોમાં હાજરી આપી.

    વર્ષ ૧૯૯૧ થી ૧૯૯૫ દરમ્યાન તેઓએ રાજ્ય સરકાર તરફથી સરકારી કર્મચારીઓ સંબંધિત કેસોમાં વકીલાત કરી. ૧૯૯૫ પછી તેઓએ સ્વતંત્ર વકીલાત શરૂ કરી.

    તેઓ ગુજરાત જમીન વિકાસ નિગમ, ગુજરાત જાહેર સેવા આયોગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વગેરે જેવી વિવિધ સરકારી સંસ્થાઓના પેનલ પર રહી ચૂક્યા છે.

    તેઓ વર્ષ ૧૯૯૯ થી ૨૦૧૬ સુધી ભારતના ચૂંટણી પંચના સ્ટેન્ડિંગ કાઉન્સેલ પણ રહ્યા હતા.

    ૦૬.૦૪.૨૦૧૬ના રોજ તેમને ગુજરાત હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે ઉન્નત કરવામાં આવ્યા અને ૧૫.૦૩.૨૦૧૮ના રોજ સ્થાયી ન્યાયમૂર્તિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.