• મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
  • Language Selection Icon
  • Accessibility Links Accessibility Icon
    Close

    મુખ્ય સંરક્ષક

    માનનીય મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ
    માનનીય મુખ્ય સંરક્ષક માનનીય ન્યાયમૂર્તિ શ્રીમતિ સુનિતા અગરવાલ

    માનનીય મુખ્ય ન્યાયાધીશ
    ગુજરાત હાઇકોર્ટ
    સોલા, અમદાવાદ

    માનનીય ન્યાયમૂર્તિ શ્રીમતિ સુનિતા અગરવાલ

    માનનીય ન્યાયમૂર્તિ શ્રીમતિ સુનિતા અગરવાલનો જન્મ ૩૦ એપ્રિલ ૧૯૬૬ના રોજ થયો હતો. તેમણે ૧૯૮૬માં લખનઉ યુનિવર્સિટીમાંથી બી. એસ. સી. ની ડિગ્રી મેળવી અને પછી ૧૯૯૦માં અવધ યુનિવર્સિટીમાંથી કાયદાની સ્નાતક ડિગ્રી (LL.B.) પ્રાપ્ત કરી હતી.

    ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગરવાલ ૧૬ ડિસેમ્બર ૧૯૯૦ના રોજ ઉત્તર પ્રદેશ બાર એસોસિયેશનમાં વકીલ તરીકે નોંધાયા હતા. વકીલ તરીકે તેમણે મુખ્યત્વે અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયમાં સિવિલ, રિટ, ઓરિજિનલ અને વાણિજ્યિક અધિકાર ક્ષેત્રોમાં વકીલાત કરી. ૨૧ વર્ષની નિષ્ઠાપૂર્વકની વકીલાત પછી, ૨૧ નવેમ્બર ૨૦૧૧ના રોજ ન્યાયમૂર્તિ શ્રીમતી અગરવાલને અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયમાં એડિશનલ જજ તરીકે ઉન્નત કરવામાં આવ્યા અને ૬ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ તેઓએ સ્થાયી ન્યાયમૂર્તિ તરીકે શપથગ્રહણ કર્યો.

    ન્યાયમૂર્તિ શ્રીમતી અગરવાલ એક તાલીમપ્રાપ્ત અને પ્રમાણિત મેડિએટર છે, તેઓ અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલય ખાતે મેડિએશન અને સમાધાન અંગેના તાલીમ વર્ગની પ્રથમ બેચનો ભાગ રહ્યા હતા.

    અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયના વરિષ્ઠતમ ન્યાયમૂર્તિ હોવાના કારણે તેઓને એપ્રિલ ૨૦૨૩માં ઉત્તર પ્રદેશ રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ (UPSLSA)ના કારોબારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

    ન્યાયમૂર્તિ શ્રીમતી અગરવાલે એકલ (સિંગલ) તથા વિભાગીય ખંડપીઠ (ડિવિઝન બેન્ચ)ની અધ્યક્ષતામા વિવિધ અધિકાર ક્ષેત્રો જેવા કે સિવિલ અને ફોજદારી અપીલો, સેવાને લગતા મામલા, જમીન અધિગ્રહણ, આંતરિક-કોર્ટ અપીલ અને સંવિધાનિક મામલાઓ ની સુનાવણી કરી છે. તેઓશ્રી અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલય ખાતે નીચલી અદાલતો ને લગતી વિવિધ બાબતો તેમજ ઉચ્ચ ન્યાયાલય અને નીચલી અદાલતો માટેની માળખાકીય સુવિધાઓ માટે રચવામાં આવેલ સાત ન્યાયમૂર્તિશ્રીઓની ખંડપીઠનો પણ ભાગ રહ્યા છે.

    અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે તેઓશ્રી ૨૦૧૬થી ઉચ્ચ ન્યાયાલયની વિવિધ વહીવટી સમિતિઓ – જેમ કે કાર્યસ્થળે મહિલાઓ સાથે થતી યૌન હેરાનગતિ અંગેના “કાર્યસ્થળ પર મહિલાઓનું જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ, ૨૦૧૩” હેઠળ રચાયેલ આંતરિક ફરિયાદ સમિતિ તેમજ કૌટુંબિક અદાલતના મામલાઓની સંવેદનશીલતા માટેની સમિતિમાં સભ્ય તરીકે રહ્યા છે. ત્યારબાદ તેમણે આંતરિક સમિતિઓ, કૌટુંબિક અદાલતની સમિતિ અને અન્ય બીજી મહત્વપૂર્ણ સમિતિઓ જેમકે રૂલ્સ કમિટી; હાઈકોર્ટ અને જિલ્લા અદાલતોમાં પડતર ફોજદારી કેસોના ઝડપી નિરાકરણ માટે મોનિટરિંગ કમિટી; લૉ-ક્લાર્ક (ટ્રેઈની) ની નિમણૂક માટેની કમિટી; વિશેષ ન્યાયિક મેજિસ્ટ્રેટ /વિશેષ મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટોની નિમણૂક માટેની સમિતિ અને ઉત્તર પ્રદેશ રાજ્યમાં પડતર કેસોના ઘટાડા અને કામના પ્રવાહને સુદ્રઢ કરવા માટે મેજિસ્ટ્રેટ અદાલતોનું નિરીક્ષણ કરવા માટેની મોનિટરિંગ સમિતિ; પ્રોટોકોલ સમિતિ; હાઈકોર્ટના ગેસ્ટ હાઉસના સંચાલન અને જાળવણી માટેની સમિતિ; માનનીય ન્યાયમૂર્તિશ્રીઓ, રજિસ્ટ્રીના અધિકારીઓ અને ગોડાઉન માટે અલ્હાબાદ ખાતે રહેણાંક મકાનોના બાંધકામ સંબંધિત પ્રોજેકટોનું નિરીક્ષણ કરવા માટેની સમિતિ; પીઆઈએલ સેલ – અલ્હાબાદ તથા લખનઉ બેન્ચ; હાઈકોર્ટના વર્ગ-૩ અને વર્ગ-4ના કર્મચારીઓની સીધી ભરતી અને વિભાગીય બઢતી માટેની સમિતિ; જેલ સુધારા સમિતિ; ઉત્તર પ્રદેશ રાજ્યની અંદરના અધિકારક્ષેત્રોમાં આંતર-જિલ્લા બદલી સંબંધિત બાબતો પર વિચારણા કરવા માટે સમિતિ; અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલય તેમજ તેના તાબા હેઠળ આવેલી નીચલી અદાલતોમા રાજ્ય સરકાર પાસે પડતર કેસોની પ્રગતિની દેખરેખ માટે રચાયેલી સમિતિ અને વરિષ્ઠ વકીલોના હોદ્દા માટેની સમિતિઓમા અધ્યક્ષતા કરેલ છે.

    અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલય ખાતે ૧૨ વર્ષ સુધી ન્યાયમૂર્તિ તરીકે સેવા આપ્યા બાદ ૨૩ જુલાઈ, ૨૦૨૩ના રોજ ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગરવાલને ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક કરવામાં આવી.