ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ (GSLSA)
વિઝન (દ્રષ્ટિકોણ) :
કાનૂની સેવા સત્તા અધિનિયમ, 1987 ના આમુખમાં જણાવેલ છે કે,
“આ અધિનિયમ નબળા વર્ગોને મફત અને સક્ષમ કાનૂની સેવાઓ આપવા માટે તથા કાનૂની સેવા સત્તા મંડળો ની રચના માટે છે જેથી કોઈ નાગરિકને ન્યાય મેળવવામાં આર્થિક કે અન્ય અક્ષમતા અડચણરૂપ ન બને.”
વિશ્વની સૌથી મોટી લોકશાહી માટે અસરકારક કાનૂની સેવા માટેનું માળખું અત્યંત આવશ્યક છે.
ગુજરાત રાજ્યમાં કાનૂની સેવા સત્તા મંડળ ના મુખ્ય કાર્યમાં સામેલ છે :
- જરૂરતમંદ વાદીઓને મફત અને સક્ષમ કાનૂની સહાય પ્રદાન કરવી
- અસરકારક વૈકલ્પિક વિવાદ નિવારણ પદ્ધતિઓ (ADR)
- નબળા વર્ગો માટે કાળજીપૂર્વક યોજના અનુસાર જાગૃતિ અને સશક્તિકરણ કાર્યક્રમો
જિલ્લા તંત્ર સાથે સહયોગ અને તમામ ભાગીદારોની જોડાણ સાથે સતત નવી પહેલો દ્વારા, “દરેક માટે ન્યાય ઉપલબ્ધ બને” એ હકીકત બની રહે તે દિશામાં સતત પ્રયત્ન કરવામાં આવે છે.
મિશન (લક્ષ્ય) :
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળે સંવિધાનમાં આપવામાં આવેલા સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયને સમાજના પછાત વર્ગ સુધી પહોંચાડવા માટે નવીન પગલાં લઈને અનન્ય પહેલ કરી છે.
આ હેતુને સિદ્ધ કરવા માટે, રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ એ વાત સુનિશ્ચિત કરે છે કે કાનૂની સેવાઓની પ્રવૃત્તિઓનું ક્ષેત્ર વિશાળ અને ગુણવત્તાપૂર્ણ બને.
આજના સમયમાં કાનૂની સેવાઓ માત્ર મફત સહાય સુધી સીમિત નથી રહી, પરંતુ સરકાર દ્વારા આપવામાં આવતી કલ્યાણકારી યોજનાઓને લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં પણ સત્તાઓ એક
સેતુ સ્વરૂપે કાર્ય કરે છે.
વધુમાં નબળા વર્ગ સુધી પહોંચવા માટે સક્રિય જનજાગૃતિ અને સશક્તિકરણ કાર્યક્રમો જરૂરી છે.:
- નવીન જનજાગૃતિ કાર્યક્રમો કરવા
- PLVs (પેરા લીગલ વોલન્ટિયર્સ) ની શક્તિશાળી ટીમ તૈયાર કરવી
- જિલ્લા કક્ષાની કાનૂની સેવા સત્તા મંડળો દ્વારા જિલ્લા તંત્ર સાથે સંકલિત પ્રયાસો જરૂરી છે
- તથા દરેક સ્તરે નિષ્ઠાપૂર્વક અને સતત પ્રયાસો જરૂરી છે
આજની જરૂરિયાત છે કે કાનૂની સહાય માત્ર મફત સ્વરૂપમાં ઉપલબ્ધ જ ન હોય, પણ ગુણવત્તાયુક્ત પણ હોય. સાથે સાથે લોક અદાલત અને મધ્યસ્થીકરણ જેવી ADR પદ્ધતિઓ દ્વારા ઝડપથી અને ઓછા ખર્ચે ન્યાય મળવો જોઇએ.
GSLSA એ આ ધ્યેય ધરાવે છે કે કાનૂની સેવાઓ તેમજ રાજ્ય સરકાર અને નાલસા (NALSA) દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનો લાભ રાજ્યના અંતિમ છેવાડાનાં માનવી સુધી પહોંચે. આ માટે વિવિધ માધ્યમો અપનાવવામાં આવે છે જેમ કે:
- કાનૂની સાક્ષરતા કેમ્પ
- કાનૂની જાગૃતિ કાર્યક્રમો વગેરે
લોક અદાલત અને મધ્યસ્થીકરણ અંગે વિશેષ માહિતી:
- ગુજરાત રાજ્ય લોક અદાલતનું આયોજન કરવામાં દેશમાં પ્રથમ સ્થાન પર છે.
- મધ્યસ્થીકરણ પદ્ધતિના મૂળ અમદાવાદમાં છે.
- છેલ્લા એક વર્ષમાં ચાર રાષ્ટ્રીય લોક અદાલતોમાં કુલ 26 લાખથી વધુ કેસો નિકાલ કરવામાં આવ્યા છે, જેમાંથી 10 લાખથી વધુ કેસો અદાલતમાં પેન્ડિંગ હતા.
- લોક અદાલત એક અસરકારક વિવાદ નિવારણ સાધન તરીકે સ્થાપિત થયેલ છે.
હાલમાં રાજ્યમાં 800થી વધુ તાલીમપ્રાપ્ત મધ્યસ્થીઓ કાર્યરત છે. હવે મધ્યસ્થીકરણ પ્રવૃત્તિઓ માત્ર જિલ્લા કક્ષાએ જ નહીં, પણ 45 તાલુકાઓ સુધી વિસ્તરેલી છે.
GSLSA ની પ્રતિબદ્ધતા છે કે લોક અદાલત અને મધ્યસ્થીકરણ દ્વારા અસરકારક, ઝડપી અને ઓછા ખર્ચે પક્ષકારોને ન્યાય પ્રદાન કરવામાં આવે.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળો (DLSAs) દ્વારા નાલસા દ્વારા ઓળખવામાં આવેલા તમામ નબળા વર્ગો માટે વિશાળ જાગૃતિ અને આઉટરીચ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. NALSA યોજનાઓના સફળ અમલ માટે પદ્ધતિસરની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.
જિલ્લાની તમામ કાનૂની સેવા સત્તા મંડળોના અધ્યક્ષો અને સચિવોએ કાનૂની સેવાઓની ગુણવત્તામાં સુધારાને લઈને ખૂબ જ મહેનત કરી છે.